ટંકશાળના અધિકારીઓના પુરાવો - કલમ : 328

ટંકશાળના અધિકારીઓના પુરાવો

(૧) આ સંહિતા હેઠળની કોઇ કાયૅવાહી દરમ્યાન તપાસ અને રિપોટૅ માટે તેને યોગ્ય રીતે સોંપાયેલ કોઇ બાબત કે વસ્તુ અંગે આ અર્થ કેન્દ્ર સરકાર જાહેરનામાંથી નિદિષ્ટ કરે તેવા કોઇ ટંકશાળ અથવા કોઇ કરન્સી નોટ પ્રિન્ટિંગ પ્રેસ અથવા કોઇ સિકયુરીટી પ્રિન્ટિંગ પ્રેસ (સ્ટેમ્પ અને સ્ટેશનરીના નિયંત્રકના અધીકારી સહિત) અથવા કોઇ ફોરેન્સિક ડિપાટૅમેન્ટ કે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના વિભાગ અથવા તકરારી દસ્તાવેજોના કોઇ સરકારી પરિક્ષક અથવા તકરારી દસ્તાવેજના કોઇ રાજય પરિક્ષક જે હોય તેના ગેઝેટેડ અધિકારીની સહીવાળો રિપોટૅ હોવાનું અભિપ્રેત હોય તેવા દસ્તાવેજનો એવા અધિકારીને સાક્ષી તરીકે બોલાવેલ ન હોય તો પણ આ સંહિતા હેઠળની કોઇ તપાસ ઇન્સાફી કાયૅવાહી કે બીજી કાયૅવાહીમાં પુરાવા તરીકે ઉપયોગ કરી શકાશે.

(૨) ન્યાયાલય પોતાને યોગ્ય લાગે તો એવા અધિકારીને બોલાવીને તેના રિપોટૅની બાબત અંગે તેને તપાસી શકશે પરંતુ એવા કોઇ અધિકારીને જેના ઉપરથી રિપોટૅ તૈયાર કરવામાં આવેલ હોય તે કોઇ રેકડૅ રજૂ કરવા માટે બોલાવી શકાશે નહી.

(૩) ભારતીય સાક્ષ્ય અધિનિયમ ૨૦૨૩ ની કલમો-૧૨૯ અને ૧૩૦ ની જોગવાઇઓને બાધ આવ્યા વીના કોઇ ટંકશાળ અથવા કોઇ કરન્સી નોટ પ્રિન્ટિંગ પ્રેસ અથવા કોઇ સિકયોરીટી પ્રિન્ટિંગ પ્રેસ અથવા કોઇ ફોરેન્સિક ડિપાટૅમેન્ટ કે ફોરેન્સિક સાયન્સ લેખોરેટરીના ઇન્ચાજૅ ઓફિસર અથવા તકરારી દસ્તાવેજ સંગઠનના સરકારી પરિક્ષક અથવા તકરારી દસ્તાવેજ સંગઠનના રાજય પરિક્ષક જે હોય તેના જનરલ મેનેજર અથવા કોઇ ઇન્ચાજૅ અધીકારીની પરવાનગીથી હોય તે સિવાય એવા કોઇપણ અધિકારીને નીચે પ્રમાણે કરવાની છૂટ આપવામાં આવશે નહી.

(એ) જેના ઉપરથી રિપોટૅ તૈયાર કરવામાં આવેલ હોય અને તે પ્રસિધ્ધ નહી થયેલ સરકારી રેકડૅમાંથી મેળવેલ કોઇ પુરાવો આપવાની અથવા

(બી) તે બાબત કે વસ્તુની તપાસ દરમ્યાન તેણે કરેલ કોઇપણ કસોટીના પ્રકાર કે વિગત જાહેર કરવાની